1972માં અમદાવાદમાં પ્રથમ રક્તદાનની યાદગાર યાત્રા ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ 1972ના સપ્ટેમ્બરમાં અમદાવાદની એમ.જી.સાયન્સ કોલેજમાં પોતાના પ્રથમ રક્તદાનનો અનુભવ કર્યો હતો, જ્યાં રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં સાદા મંડપ હેઠળ વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો અને ડોક્ટરોની ટીમે રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું. વિવિધ પ્રેરણાદાયી સૂત્રો અને પત્રિકાઓ દ્વારા રક્તદાનના લાભોની જાણકારી આપવામાં આવી હતી. ડૉ. કથીરિયાએ જણાવ્યું છે કે, “રક્તદાન – જીવનદાન” જેવા સૂત્રો વાંચીને અને સ્વયંસેવકોની સમજણથી પ્રેરાઈ તેઓએ રક્તદાન કરવાનો નિર્ણય લીધો હતો. કેમ્પમાં રજીસ્ટ્રેશન પછી બ્લડ ગ્રુપ અને હિમોગ્લોબિન ચકાસણી થઈ. ડૉ. કથીરિયાનો બ્લડ ગ્રુપ “B+Ve” હોવાનું જાણવા મળ્યું. ડોક્ટરે બીપી ચેક કર્યા બાદ, વાતચીત અને સમજણ સાથે રક્તદાનની પ્રક્રિયા પૂર્ણ કરી. તે સમયે લોહી લેવાની સોઇ જાડી હોવાથી લોકલ એનેશ્થેશિયા આપતા અને કાચની બોટલમાં 300 મિલી લોહી લેવાતું હતું. રક્તદાન પછી કોફી અને બિસ્કીટ આપવામાં આવ્યા હતા. ડૉ. કથીરિયાએ પોતાના ગામડાના અનુભવ સાથે રક્તદાનની તુલના કરી અને જણાવ્યું કે, ખેતરમાં કામ કરતી વખતે લોહી નીકળી જવું સામાન્ય છે, જ્યારે રક્તદાનથી શરીરને કોઈ નુકસાન થતું નથી. તેમને જાણવા મળ્યું હતું કે, 18 વર્ષથી ઉપરનો સ્વસ્થ વ્યક્તિ દર 3 માસે રક્તદાન કરી શકે છે અને શરીરમાં લોહી 14 દિવસમાં ફરીથી પૂરું થઈ જાય છે. આ પહેલું રક્તદાન ડૉ. કથીરિયાની નિયમિત રક્તદાન યાત્રાની શરૂઆત બની. એમ.બી.બીએસ. અને એમ.એસ. અભ્યાસ દરમિયાન તેમજ એન.એસ.એસ. અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે રહીને તેમણે અનેક રક્તદાન કેમ્પોનું આયોજન કર્યું. 11મી વાર રક્તદાન સમયે તેમને ગવર્નરના હસ્તે શિલ્ડ મળ્યો હતો. ડૉ. કથીરિયાએ 100મી વાર રક્તદાન રાજકોટમાં ઐતિહાસિક રીતે કર્યું, જ્યાં 7644 રક્તદાતાઓએ એક જ દિવસે રક્તદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ અક્ષરધામ મંદિર, નવી દિલ્હી અને અમદાવાદમાં પણ વિશિષ્ટ પ્રસંગોએ રક્તદાન કર્યું. અત્યાર સુધીમાં તેમણે 134 વખત રક્તદાન કરવાનો આત્મ સંતોષ વ્યક્ત કર્યો છે. આ અનુભવના અંતે ડૉ. કથીરિયાએ સૌને નિયમિત રક્તદાતા બનવાનો સંકલ્પ કરવા અને માનવતાની જ્યોત જળવાઈ રહે તેવા સંદેશ સાથે લેખ પૂર્ણ કર્યો. 1972માં અમદાવાદમાં પ્રથમ રક્તદાનની યાદગાર યાત્રા ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ 1972ના સપ્ટેમ્બરમાં અમદાવાદની એમ.જી.સાયન્સ કોલેજમાં પોતાના પ્રથમ રક્તદાનનો અનુભવ કર્યો હતો, જ્યાં રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં સાદા મંડપ હેઠળ વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો અને ડોક્ટરોની ટીમે રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું. વિવિધ પ્રેરણાદાયી સૂત્રો અને પત્રિકાઓ દ્વારા રક્તદાનના લાભોની જાણકારી આપવામાં આવી હતી. ડૉ. કથીરિયાએ જણાવ્યું છે કે, “રક્તદાન – જીવનદાન” જેવા સૂત્રો વાંચીને અને સ્વયંસેવકોની સમજણથી પ્રેરાઈ તેઓએ રક્તદાન કરવાનો નિર્ણય લીધો હતો. કેમ્પમાં રજીસ્ટ્રેશન પછી બ્લડ ગ્રુપ અને હિમોગ્લોબિન ચકાસણી થઈ. ડૉ. કથીરિયાનો બ્લડ ગ્રુપ “B+Ve” હોવાનું જાણવા મળ્યું. ડોક્ટરે બીપી ચેક કર્યા બાદ, વાતચીત અને સમજણ સાથે રક્તદાનની પ્રક્રિયા પૂર્ણ કરી. તે સમયે લોહી લેવાની સોઇ જાડી હોવાથી લોકલ એનેશ્થેશિયા આપતા અને કાચની બોટલમાં 300 મિલી લોહી લેવાતું હતું. રક્તદાન પછી કોફી અને બિસ્કીટ આપવામાં આવ્યા હતા. ડૉ. કથીરિયાએ પોતાના ગામડાના અનુભવ સાથે રક્તદાનની તુલના કરી અને જણાવ્યું કે, ખેતરમાં કામ કરતી વખતે લોહી નીકળી જવું સામાન્ય છે, જ્યારે રક્તદાનથી શરીરને કોઈ નુકસાન થતું નથી. તેમને જાણવા મળ્યું હતું કે, 18 વર્ષથી ઉપરનો સ્વસ્થ વ્યક્તિ દર 3 માસે રક્તદાન કરી શકે છે અને શરીરમાં લોહી 14 દિવસમાં ફરીથી પૂરું થઈ જાય છે. આ પહેલું રક્તદાન ડૉ. કથીરિયાની નિયમિત રક્તદાન યાત્રાની શરૂઆત બની. એમ.બી.બીએસ. અને એમ.એસ. અભ્યાસ દરમિયાન તેમજ એન.એસ.એસ. અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે રહીને તેમણે અનેક રક્તદાન કેમ્પોનું આયોજન કર્યું. 11મી વાર રક્તદાન સમયે તેમને ગવર્નરના હસ્તે શિલ્ડ મળ્યો હતો. ડૉ. કથીરિયાએ 100મી વાર રક્તદાન રાજકોટમાં ઐતિહાસિક રીતે કર્યું, જ્યાં 7644 રક્તદાતાઓએ એક જ દિવસે રક્તદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ અક્ષરધામ મંદિર, નવી દિલ્હી અને અમદાવાદમાં પણ વિશિષ્ટ પ્રસંગોએ રક્તદાન કર્યું. અત્યાર સુધીમાં તેમણે 134 વખત રક્તદાન કરવાનો આત્મ સંતોષ વ્યક્ત કર્યો છે. આ અનુભવના અંતે ડૉ. કથીરિયાએ સૌને નિયમિત રક્તદાતા બનવાનો સંકલ્પ કરવા અને માનવતાની જ્યોત જળવાઈ રહે તેવા સંદેશ સાથે લેખ પૂર્ણ કર્યો. Post navigation ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘પ્રોજેક્ટ રક્તસેતુ’ અંતર્ગત બહુઆયામી લોકકલ્યાણ કેમ્પનું આયોજન સારંગપુર ટ્રસ્ટના ટ્રેડમાર્ક નિર્ણયનો બ્રહ્મ સમાજ વિરોધ